PM Mudra Loan Yojana 2024: શું છે આ યોજના?
ભારત સરકાર દ્વારા PM Mudra Loan Yojana 2024 ચાલુ કરવામાં આવી છે. સરકાર દ્વારા યોજના નો મુખ્ય હેતુ એ જ છે આર્થિક રીતે નબળા માણસો પોતાનો વ્યસાય ચાલુ કરવા માટે મદદ રૂપ થશે. તમને નવો વ્યવસાય શરૂ કરવા માટે મૂડીની જરૂર છે? અથવા તમારી પાસે પૂરતી નાણાકીય સગવડ નથી? તો ચિંતા કરવાની છે નહિ, કારણ કે PM Mudra Loan Yojana તમને મદદરૂપ થવા માટે છે. આ યોજના હેઠળ, ભારત સરકાર મધ્યમ વર્ગના નાગરિકોને 10 લાખથી 20 લાખ રૂપિયા સુધીની લોન પ્રદાન કરે છે. તો જાણીયે સંપૂર્ણ માહિતી આ લેખ માં તો અંતઃ સુધી વાંચો.
PM Mudra Loan Yojana નો મુખ્ય હેતુ
આ યોજનાનો હેતુ છે નાગરિકોને તેમના નવું બિઝનેસ શરૂ કરવા માટે પ્રોત્સાહિત કરવો. આ સાથે, નવા વ્યવસાયનો પ્રારંભ કરીને ભારતના નાગરિકોને સ્વરોજગાર તરફ આગળ વધારવો.

યોજનાની શરૂઆત અને તેના વિકાસ
PM Mudra Loan Yojana વર્ષ 2015માં શરૂ કરવામાં આવી હતી. અગાઉ આ યોજના હેઠળ 10 લાખ રૂપિયા સુધીની લોન મળી શકતી હતી, પરંતુ હવે આ મર્યાદા વધારીને 20 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે.
વિષય | વિગત |
યોજના નામ | પીએમ મુદ્રા લોન યોજના 2024 |
યોજના શરૂ | વર્ષ 2015 |
લોનની મહત્તમ મર્યાદા | 20 લાખ રૂપિયા |
લોન કેટેગરી | શિશુ, કિશોર, અને તરુણ |
લોનના વ્યાજ દર | 9% થી 12% |
લોન માટે ઉંમર | 18 વર્ષ અને વધુ |
જરૂરી દસ્તાવેજો | જરૂરી દસ્તાવેજો ,આધાર કાર્ડ, પાન કાર્ડ, રહેઠાણ પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝ ફોટો, બિઝનેસ પ્લાન, આવક પ્રમાણપત્ર, KYC દસ્તાવેજો |
લોન અરજી | ઓફલાઈન/બેંક અથવા ઓનલાઈન |
PM Mudra Loan Yojana લોન કેટેગરી
આ યોજના ત્રણ મુખ્ય કેટેગરીમાં વિભાજિત છે:
1. શિશુ લોન: 50,000 રૂપિયા સુધી.
2. કિશોર લોન: 50,000 રૂપિયા થી 5 લાખ સુધી.
3. તરુણ લોન: 5 લાખ થી 20 લાખ સુધી.
લોનના વ્યાજ દર અને પ્રક્રિયા ફી
મુદ્રા લોન પરનો વ્યાજ દર બેંક પર આધાર રાખે છે અને સામાન્ય રીતે 9% થી 12% ટકાનો હોય છે. શિશુ મુદ્રા યોજનામાં, લોન માટે કોઈ ગેરન્ટીની જરૂર નથી, અને પ્રક્રિયા ફી પણ ચૂકવવાની જરૂર નથી.
PM Mudra Loan Yojana કોણ લોન માટે પાત્ર છે?
18 વર્ષથી વધુ ઉંમરના દરેક ભારતીય નાગરિક આ યોજનાનો લાભ મેળવી શકે છે. અરજદાર પાસે બેંકમાં પોતાનું ખાતું હોવું આવશ્યક છે અને તે બિઝનેસ વ્યક્તિગત હોવાથી કોર્પોરેટ એન્ટિટીના ભાગ તરીકે ન હોવું જોઈએ.
PM Mudra Loan Yojana માટે જરૂરી દસ્તાવેજો
આધાર કાર્ડ
પાન કાર્ડ
રહેઠાણ પ્રમાણપત્ર
પાસપોર્ટ સાઇઝ ફોટો
બિઝનેસ પ્લાન
આવક પ્રમાણપત્ર
KYC દસ્તાવેજો
PM Mudra Loan Yojana ક્યાં અરજી કરી શકાય છે?
આ યોજનાનો લાભ મેળવવા માટે, તમે નજીકની બેંકમાં જઈને અરજી કરી શકો છો અથવા ઓનલાઈન અરજી માટે ભારત સરકારની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.
સમાપ્તિ:
PM Mudra Loan Yojana 2024 ભારતના નાગરિકોને પોતાના સ્વપ્નનું બિઝનેસ શરૂ કરવામાં મદદરૂપ થવા માટે એક મહાન તક છે. આ યોજના નબળા અને મધ્યમ વર્ગના લોકો માટે અત્યંત ઉપયોગી સાબિત થાય છે, જેનાથી તેઓ સરકાર દ્વારા પ્રદાન કરેલ આર્થિક સહાયથી આગળ વધીને આત્મનિર્ભર બની શકે છે. જો તમે પણ નવો વ્યવસાય શરૂ કરવા માંગતા હોવ, તો PM Mudra Loan Yojana લાભ લઈ તમારા સપનાઓને સાકાર કરો.આશા રાખું છું આ લેખ તમને મદદ રૂપ થશે. આવી જ માહિતી માટે નિયમિત ikhedutinfo .com ની મુલાકાત લો.
મહત્વની લીંક
અરજી કરવા માટે | અહીંયા ક્લિક કરો |
હોમ પેજ માટે | અહીંયા ક્લિક કરો |